• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • લાઈફ સ્ટાઈલ
  • વરસાદની સિઝનમાં ઘરમાંથી કીડીઓનો ત્રાસ દુર કરવો છે? આ ટિપ્સથી મેળશે અચૂક છુટકારો...

વરસાદની સિઝનમાં ઘરમાંથી કીડીઓનો ત્રાસ દુર કરવો છે? આ ટિપ્સથી મેળશે અચૂક છુટકારો...

12:26 PM July 14, 2023 admin Share on WhatsApp



Get Rid of Ants in Monsoon: વરસાદની સિઝન શરૂ થતાની સાથે જ મચ્છર, માંખી, કિડી, મકોડા સહિતના જીવજંતઓનો ઉપદ્રવ શરૂ થઈ જાય છે. એવામાં ઘરમાં જીવજંતુઓનો વધારે ત્રાસ રહેતો હોય છે. ખાસ કરીને કીડીઓનો ઉપદ્રવ રસોડામાં અને ખાવા-પીવાની જગ્યાએ સૌથી વધુ હોય છે, જેના કારણે આપણે પરેશાનીનો સામનો કરવો પડે છે. જો ખોરાકમાં કીડીઓ પડી જાય, તો તે સ્વાસ્થ્ય માટે ખતરો બની શકે છે. એવામાં તેને દુર કરવી જ પડ તે હિતાવહ છે. ગામડાં સહિત શહેરોમાં પણ આ સમસ્યા જોવા મળે છે. ચોમાસું જ નહીં, દરેક ઋતુમાં લાલ-કાળી કીડીઓની સમસ્યા થાય છે પરંતુ ચોમાસાની ઋતુમાં આ સમસ્યા સૌથી વધારે હોય છે. એવામાં અમે તમને જણાવીશું કે આ કીડીઓથી કેવી રીતે છુટકારો મેળવશો..

લોટ અને મીઠાનો ઉપયોગ કરો

કીડીઓને દુર કરવા માટે લોટ અને મીઠું બંને અસરકારક છે. જ્યાં કીડીઓ થઈ ત્યાં થોડો લોટ છાંટશો, તો થોડીવારમાં કીડીઓ ગાયબ થઈ જશે. કીડીઓને ભગાડવા માટે તમે મીઠાનો પણ ઉપયોગ કરી શકો છો. કીડીઓ થઈ હોય તે જગ્યાએ મીઠું નાંખો, થોડી જ વારમાં કીડીઓ ત્યાંથી ભાગી જશે. તમે આ બે વસ્તુઓને મિક્સ કરી શકો છો અને તમારી બારી અને દરવાજાની બહાર રાખી શકો છો. જેનાથી કીડીઓ અંદર આવતી અટકી જશે. લોટ અને મીઠું - કીડીઓને ભગાડવા માટે લોટ અને મીઠું બંને અસરકારક છે. જ્યાં કીડીઓ થઈ ત્યાં થોડો લોટ છાંટશો, તો થોડીવારમાં કીડીઓ ગાયબ થઈ જશે. કીડીઓને ભગાડવા માટે તમે મીઠાનો પણ ઉપયોગ કરી શકો છો. કીડીઓ થઈ હોય તે જગ્યાએ મીઠું નાંખો, થોડી જ વારમાં કીડીઓ ત્યાંથી ભાગી જશે. તમે આ બે વસ્તુઓને મિક્સ કરી શકો છો અને તમારી બારી અને દરવાજાની બહાર રાખી શકો છો. જેનાથી કીડીઓ અંદર આવતી અટકી જશે.

વિનેગરનો ઉપયોગ કરો

અનેક ઘરેલું ઉપચારમાં વિનેગરનો ઉપયોગ સામાન્ય થઈ ગયો છે. ત્યારે કીડીઓને ભગાડવા માટે પણ સફેદ વિનેગર ખુબ જ અસરકારક સાબિત થાય છે. સૌથી પહેલા થોડું સફેદ વિનેગર લો અને તેને પાણીમાં મિક્સ કરો. આ મિશ્રણથી તમારું રસોડું અને કીડીઓ આવે છે, તે જગ્યાને સાફ કરો. તેનાથી કીડીઓ મિનિટોમાં ભાગી જશે. જો દીવાલ પર કીડીઓ થઇ હોય તો આ મિશ્રણને સ્પ્રે બોટલમાં ભરીને દીવાલ પર સ્પ્રે કરો. તેનાથી તરત જ કીડીઓથી છૂટકારો મેળવી શકાશે.

આ પણ વાંચો: ચોમાસામાં રાત્રે ઘરમાં જીવજંતુઓ કરે છે પરેશાન? આ 5 અસરકારક ટિપ્સથી મિનિટોમાં જંતુઓ થશે ગાયબ...

લીંબુ અને પાણીનું મિશ્રણ

સ્પ્રે કરી શકાય એવી બોટલમાં સૌપ્રથમ પાણી ભરી લો. ત્યાર બાદ એક લીંબુ કાપીને આ બોટલમાં તેનો રસ ઉમેરો. હવે આ મિશ્રણને સરખી રીતે હલાવીને મિક્સ કરો. હવે કીડીઓ ભગાડવા માટેનું મિશ્રણ તૈયાર છે. આ મિશ્રણને કીડીઓ હોય તે જગ્યાએ સ્પ્રે કરી લો. થોડી જ વારમાં ત્યાંથી કીડીઓ ગાયબ થઇ જશે. એટલું જ નહીં, તમે કીડીઓને ભગાડવા માટે લીંબુની છાલને ઘરમાં અલગ-અલગ જગ્યાએ મૂકી શકો છો. જેનાથી ઘરમાં કીડીઓનો ઉપદ્રવ નહીં થઇ શકે.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. Gujju News Channel આની પુષ્ટિ કરતું નથી.)  

(Home Page- gujju news channel)

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - weather news 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

મિડલ ઇસ્ટ તણાવ વચ્ચે 200 ડોલર સુધી પહોચશે ક્રૂડ ઓઇલ?, નવી ચેતવણીથી વૈશ્વિક બજારોમાં હડકંપ

  • 27-03-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 માર્ચ 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-03-2026
    • Gujju News Channel
  • IPL 2026: બીજા ફેઝનું શેડ્યૂલ થયું જાહેર, 12 શહેરોમાં રમાશે તમામ મેચ; પ્લેઓફ અને ફાઈનલની તારીખ જાહેર ન કરી
    • 26-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 માર્ચ 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-03-2026
    • Gujju News Channel
  • અમરેલીમાં કેજરીવાલની મોટી જાહેરાત, "ગુજરાતમાં 'આપ' ની સરકાર બની તો મહિલાઓના ખાતામાં આપીશું રૂ.1000"
    • 25-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 26 માર્ચ 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-03-2026
    • Gujju News Channel
  • જીવનમાં દિવ્યતા લાવતા ત્રિકાળ સંધ્યાના શ્લોક : દિવસના ત્રણ ચરણ માટેના ત્રણ શ્લોક | સ્વાધ્યાય પરિવાર | Trikal Sandhya Shlok
    • 25-03-2026
    • Gujju News Channel
  • શું ગુજરાત UCC લાગુ કરનાર બીજું રાજ્ય બનશે? વિધાનસભામાં બિલ રજૂ, જાણો UCC લાગુ થવાથી શું બદલાશે?
    • 24-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 25 માર્ચ 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-03-2026
    • Gujju News Channel
  • અંબાલાલની આગાહી : આ તારીખથી 40થી 50ની કિમીની ઝડપે પવન સાથે ગુજરાતમાં ત્રાટકશે કમોસમી વરસાદ
    • 23-03-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us